રાજ્યમાં વધી રહેલી ક્રાઈમને ઘટનાઓને જોતા રાજ્યના શિક્ષણ વિભાગે એક નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં સ્કૂલ સેફ્ટીને લઈને વિવાદાસ્પદ પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડ્યા પછી એક નવો વિવાદ ઉભો થયો છે. શિક્ષકો જાતિય ગુના, પોસ્કો અને બાળકો ઉપરના અત્યાચારના હિંસક ગુનાઓમાં દોષિત નથી તેવું સોગંદનામું કરવા આદેશ કરવામાં આવ્યો છે. ખોટું સોગંદનામું કરનાર સામે પગલાં લેવાશે.
રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલ સેફ્ટીને લઇને પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે શિક્ષકોને 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે એક નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં સ્કૂલ સેફ્ટીને લઇને વિવાદાસ્પદ પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડ્યા પછી નવો વિવાદ ઊભો થયો છે. પરિપત્રને લઇને કોંગ્રેસે પણ ભાજપ સરકાર ઉપર બરોબર પ્રહારો કર્યા હતા.
સરકાર દ્વારા બહાર પાડેલા પરિપત્ર બાદ કોગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પરિપત્ર અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, સ્કૂલ સેફ્ટીના નામે સરકાર શિક્ષકોના સ્વમાન ઉપર ઘા કર્યો છે. ભાજપના પદાધિકારીઓ પાસેથી બાહેધરી લેવી જોઇએ.